કપડા સુકાવતી વખતે વાયરને અડી જતા કિશોરને વીજ કરંટ ભરખી ગયો
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના શિરાચા ગામે આવેલી એસવીસીટી કોલોનીમાં કપડા સુકવતી વખતે વીજ વાયરને ભીનો કપડો અડી જતા કરંટ લાગવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ બાબતે મુંદરા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ એમપીના હાલે કોલોનીમાં રહેતા ૧૭ વર્ષિય યુવરાજ સંતોષ સીસોદીયા નામનો કિશોર કપડા સુકવવા જતો હતો ત્યારે ઈલેકટ્રીક વાયરમાં ભીનું કપડું અડી જતા કરંટ લાગવાના કારણે મોત થયું હતું. જેને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Comments