Trending News
ગુજરાત

અમદાવાદ મંડળે માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા

06 May


મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના
 
અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ પરિવહન અને રેવેન્યુ ઉપાર્જનના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતીય રેલવેના ફ્રેઈટ ઓપરેશનને નવી દિશા પૂરી પાડી રહ્યું છે. મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળ દ્વારા માલ લોડિંગના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ અને નવીનતાસભર પહેલો કરવામાં આવી રહી છે, જેનાથી ફક્ત વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન જ નથી મળી રહ્યુ, પરંતુ દેશવ્યાપી આપૂર્તિ શ્રેણીને પણ મજબૂતી મળી રહી છે. 
૬ મેના અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવના રગિયા મંડળમાં આવેલ અજારા સ્ટેશન (આસામ) માટે ૪૨૦૦ ક્વિન્ટલ જીરૂંથી લોડેડ પહેલી ‘ડીમ્ડ વીપી રેક’ સફળતા પૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કેમ કે પહેલી વાર આ સેક્ટરમાં મસાલાઓનું સંગઠિત રેલવે લોડિંગ કરવામાં આવ્યું છે. આ રેક મારફતે વિવિધ પ્રકારના મસાલાઓનું પરિવહન કરવામાં આવ્યું, જેનાથી રેલવેને લગભગ રૂા. ૨૫ લાખની આવક પ્રાપ્ત થઈ.  નવી પહેલ ફક્ત ગુજરાતના મસાલા ઉદ્યોગને પૂર્વોત્તરના બજારોથી જોડવાનું જ કામ નહી કરે, પરંતુ રોડ પરિવહનની સરખામણીમાં વધુ સુરક્ષિત, કિફાયતી અને પર્યાવરણ - અનુકૂળ વિકલ્પ રૂપે રેલવેની ભૂમિકાને પણ સુદ્રઢ બનાવશે. આનાથી સ્થાનિક વેપારીઓ અને નિકાસકારોને પણ મોટી સુવિધા પ્રાપ્ત થશે તથા ભવિષ્યમાં આ પ્રકારની વધારે ફ્રેઈટ મુવમેન્ટની શક્યતાઓ મજબૂત થશે. 
સતત વિકસિત કરવામાં આવી રહેલા નવા ફ્રેઈટ કોરિડોર, ગ્રાહક-અનુકૂળ નીતિઓ. તાત્કાલિક રેક ઉપલબ્ધતા, આધુનિક માલ લોડિંગ સુવિધાઓ અને સમર્પિત માર્કેટિંગ પ્રયાસ મંડળને પશ્ચિમ રેલવેના અગ્રગણ્ય માલ લોડિંગ મંડળોમાં સ્થાપિત કરી રહ્યા છે. મંડળ દ્વારા ઉદ્યોકોની જરૂરિયાતોને અનુરૂપ અનુકૂળ પરિવહન સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેનાથી રેલવે પ્રત્યે ઉદ્યોગ જગતનો વિશ્વાસ ઘણો વધારે મજબૂત થયો છે. 
અમદાવાદ મંડળની આ નોંધપાત્ર સિદ્ધિઓ ભાવનાને સાકાર કરતાં પશ્ચિમ રેલવેની માલ લોડિંગ ક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભવિષ્યમાં પણ મંડળ દ્વારા નવા વ્પાપારી અવસરોની ઓળખ કરીને માલ પરિવહનના ક્ષેત્રમાં નવીનતા અને શ્રેષ્ઠતાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવતા રહેશે. 
------


ગાંધીધામથી જમ્મુ કાશ્મીર ખાદ્ય તેલનું સફળ લોડિંગ કરી સિદ્ધિ નોંધાવી 


હાલમાં જ ગાંધીધામ ક્ષેત્રના ભીમાસર સ્ટેશનથી જમ્મૂ - કાશ્મીરના બાડી બ્રાહ્મણ અને અનંતનાગ સુધી ખાદ્ય તેલનું સફળ લોડિંગ કરી એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. આ વિશેષ ફ્રેઈટ મુવમેન્ટ હેઠળ ૧૧ બીસીએન વેગન બાડી બ્રાહ્મણ તથા ૯ બીસીએન વેગન અનંતનાગ માટે મોકલવામાં આવ્યા. આ પરિવહનથી રેલવેને રૂ. ૧૭ લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ. 
કચ્છથી કાશ્મીર” સુધી ખાદ્ય તેલની નિર્વિરોધ આપૂર્તિ દેશની એકતા, મજબૂત લોજિસ્ટિક નેટવર્ક તથા ભારતીય રેલવેની સર્વવ્યાપક પહોંચનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પશ્ચિમ ભારતના ઔદ્યોગિક અને પોર્ટ ક્ષેત્રોને ઉત્તર ભારત અને જમ્મૂ-કાશ્મીર જેવા સંવેદનશીલ અને દૂરના ક્ષેત્રથી જોડવામાં રેલવેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.  આ પ્રકારના માલ લોડિંગથી જરૂરી વસ્તુઓની સમયબદ્ધ ઉપલબ્ધતા સુનિશ્ચિત થવાની સાથે-સાથે રોડ વાહનવ્યવહાર પરનું દબાણ ઓછું થાય છે. અમદાવાદ મંડળના ‘બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ’ દ્વારા વેપારી સંસ્થાઓ અને ઉદ્યોગોની સાથે સતત વાર્તાલાપ સ્થાપિત કરીને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્તમ અને ઝડપી લોજિસ્ટિક સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પરિણામ સ્વરૂપે મંડળમાં નવા-નવા કોમિડિટી ટ્રાફિકનો વિકાસ થઈ રહ્યો છે તથા રેલવે મારફતે માલ પરિવહન પ્રત્યે વ્યપારી સમુદાયનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.
-------

Comments

COMMENT / REPLY FROM