લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખનીજચોરી સામે ભુજ ફલાઈંગ સ્કવોર્ડની ટીમનો સપાટો..?
સુજલામ સુફલામના નામે સીંચાઈમાથી વર્ક ઓર્ડર મેળવી અને તેની આડમાં આડેધડ ખનીજચોરીઓ થતી હોવાની ફરીયાદ બાદ ફલાઈંગ સ્કવોર્ડે બોલાવી તરત જ તવાઈ : શ્રી શાહની ટીમની સમયસુચકતા સરાહનીય, જો કે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ કયાંક ને કયાંક દેખાયું છે ઉંઘતું
ખાટલે મોટી ખોટ : સુજલામ સુફલામ યોજનાના વર્ક ઓર્ડરો મેળવવા જોઈએ, આ ઉપરાંત પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા મુરચબાણમાં આ પ્રકારની પરવાનગીઓ અપાઈ છે કે નહી? જો અપાઈ હતી તો કયા આધારે, કયા પેટે? કેવા પ્રકારની શરતોને આધીન અપાઈ હતી મંજુરી? તેનુ પાલન કરવામા અવ્યુ છે કે નહી? સુજલામ સુફલામ યોજનાના વર્કઓર્ડર વાળી જગ્યાએ ખનીજ નીકળ્યુ હોય તો તેટલો જ માલ પાસ-પરવાનાથી ઉપાડવાનો સરકારનો કદાચ સર્કયુલર હોઈ શકે છે, આડેધડ ખનીજ ઉપાડવાની કોઈને છુટ આપી શકાય જ નહી...! : આ તમામ તપાસ થવી જરૂરી
મુરચબાણ વિસ્તારમાં અમારી ટીમ દ્વારા સરપ્રાઇજ ચેકીંગ કર્યુ હતુ, અહીથી ચાર ડમ્પર અને હીટાચી મશીનને હાલતુરંત ઝપ્ત કરી દયાપાર પોલીસ મથકને સોંપ્યુ છે, હાલમાં પ્રાથમિક તબક્કાની જ કાર્યવાહી થયેલ છે, આધાર-પુરાવાઓ રજુ કરે, તેનું સિચાઈ સહિતમાં વેરીફીકેશન કરાવીએ તે બાદ વધારે સચોટતાથી કહી શકાય કે કાયદેસરનું ખનીજ કાર્ય હતુ કે ગેરકાયદેસરનુ, હાલમાં કઈ પણ કહેવુ થોડુ વહેલુ કહેવાશેઃ શ્રી મેહુલ શાહ(ફલાઈંગ સ્કવોર્ડ-ભુજ-કચ્છ ખાણખનિજ વિભાગ)
લખપત પટ્ટામાં ચાલતા ૧૪ જેટલા મશીનો પેટે થતી મસમોટી ખનીજચોરીમાં કયા કયા ખાખીધારીઓને એક મશીન દીઠ પ૦ લાખનો મળે છે મોટો હપ્તો? : જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થશે તો ઘણુ બધુ બહાર આવશે?
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ચોમાસુ સિઝન પહેલા જળાશયો-ડેમ-તળાવો ઉંડા કરી અને તેમાં વધુને વધુ જળસંગ્રહ કરી શકાય તેવા રચનાત્મક તથા સારા હેતુસર સુજલામ સુફલામ યોજનાઓ તળે આ કામો માર્ચ માસથી શરૂ કરવામા આવતા હોય છે. આ કામો સરકારની નીતી અને નિયમોને અનુસરીને કરવાના બદલે અમુક ભેજાબાજ ટોળકી દ્વારા જાણે કે, સરકારની તીજોરીને યેન કેન પ્રકારેણ આર્થીક મોટો ધુમ્બો ફટકારી, રીંગ બનાવી અને આ સારી યોજનાની આડમાં ખનીજચોરીને ધમધમાવામાં આવતી હોવાની ફરીયાદો કચ્છમાથી પણ ઉઠવા પામી હતી. અબડાસા વિસ્તામાં થોડા સમય પહેલા વિજિલન્સની ટીમ-ટુકડીઓ ત્રાટકી હોવાથી જાણે કે, ખનીજમાફીયાઓ અબડાસાને છોડી અને લપત તરફ વળી ગયા હોય તેમ અહી સુજલામ સુફલામ યોજનાની આડમાં આડેધડ સિંચાઈથી વર્કઓર્ડર મેળવી અને તે પટ્ટામં ખનીજની ચોરીઓે ધમધમાવી રહ્યા હોવાની ફરીયાદો સામે આવ્યા બાદ ભુજ ફલાઈંગ સ્કવોર્ડના શ્રી મેહુલ શાહ દ્વારા આવા તત્વોની સામે લાલઆંખ કરતી ધાક બેસાડતી કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી
રહ્યા છે. આ બાબતે લખપત જેવા છેવાડાના પટ્ટામાં પણ ખુદની ટીમને ચોકકસાઈ પૂર્વક ઉતારી અને મુરચબાણમાં સરપ્રાઇઝ તપાસ કરાવનારા ફલાઈંગ સ્કવોર્ડના શ્રી મેહુલ શાહની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ ક્હયુ હતુ કે, મુરચબાણમાં ગઈકાલે અમારી ટુકડી તપાસ માટે ગઈ હતી. ત્યાથી ખનન પ્રવૃતીમાં રોકાયેલા ચાર જેટલા ડમ્પર અને એક હિટાચીને હાલતુરુંત જડપયુ છે અને તેઓની પાસેથી આધાર-પુરાવાઓ રજુ કરવાનુ કહેવાયુ છુે. હાલતુરંત સિઝ કરેલ મુદામાલ દયાપાર પોલીસ મથકે સોપવામાં આવેલા છે. સુજલામ સુફલામના કામની મંજુરી હતી કે કેમ? અથવા તો લિઝના આધારો તેઓ પાસે છે કે નહી? કે પછી લિજ બહાર ખોદકામ થતુ હતુ તે બધુ જ આધારો રજુ કરે તે બાદ ખ્યાલ આવી શકે હાલમાં કઈ પણ કહી ન શકાય તેવુ શ્રી શાહે ઉમેર્યુ હતુ. જો કે, લખપત પટ્ટામાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજના કૌભાંડની ફરીયાદો બાદ શ્રી શાહે દાખવેલી લાલઆંખ ભરી કાર્યવાહીથી આખાય પટ્ટામાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફડક બેસવા પામી ગઈ હોવાનો વર્તારો એકચોટ તો જોવા મળી જ રહ્યો છે. આ બાબતે દયાપાર પોલીસ સ્ટેશને વાત કરતા ફરજ પરના પીએસઓએ જણાવ્યુ હતુ કે, ખાણખનિજ વિભાગ દ્વારા ૧ લોડર, ૧ હિટાચી મશીન અને બે ડમ્પર પોલીસ મથકે મુકી ગયેલ છે. જે મામલે આગળની કાર્યવાહી-તપાસ ખાણખનિજ વિભાગ કરી રહ્યુ હોવાનુ જણાવાયું હતુ.
........
ઝડપાયેલ ખનીજચોરી તો પાસેરામાં પુણી સમાન :
લખપત પટ્ટામાં ૧૪ મશીનોથી થાય છે ધૂમ ચોરી!
શ્રી મેહુલ શાહે ખનીજચોરો સામે તવાઈના શ્રી ગણેશ કરી દીધા છે, હવે પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસતંત્ર પણ આળસ મરડશે ખરૂ?
જો આ પ્રકારની તપાસ-તવાઈ ઝુંબેશ વ્યાપક બનાવાશે તો લખપત પટ્ટામાં મુરચબાણ ઉપરાંત લિફરી-ખડક-ભાડરા-સાંયણ, આસરડી સહીતના ગામોની આસપાસમાં ચાલતા મશીનો ઝડપાય : જાણકારોનો ઈશારો : અબડાસા તાલુકામાં પણ આ જ રીતે સાતથી આઠ મશીનો અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યા હોવાની છે ચર્ચા
ગાંધીધામ : ભુજ ફલાઈંગ સ્કવોર્ડના શ્રી મેહુલ શાહની ટુકડી ગઈકાલે લખપત પટ્ટાના મુરચબાણમા ખનીજચોરી બાબતે ત્રાટકી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, તેઓએ કરેલી કાર્યવાહીને શ્રીગણેશ થયાનુ માની અને પશ્ચીમ કચ્છ ખાણખનિજ વીભાગ તથા પોલીસે પણ હવે જાગૃત થવાની જરૂર છે. જાણકારો કહી રહ્યા છે કે, અહી પોલીસની મીઠીનજર અને ખાણખનિજના બની બઠેલાઓના ચાર હાથ સાથે અલગ અલગ ગામોમાં હજુય બીજા મશીનો મોટા પ્રમાણમાં ચાલી જ રહ્યા છે. જો તપાસનો વ્યાપ વિસ્તરે તો ન માત્ર મુરચબાણ બલ્કે લીફરી, ખડક, ભાડરા, સાંયણ સહિતના ગામોની આજુબાજુના વિસ્તારોમાં પણ આવા મશીનોથી ખનીજચોરીના મોટા કારનામાનો પર્દાફાશ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.
Comments