ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખનિજ વિભાગ-પોલીસતંત્ર કેમ કુંભકર્ણિ નિંદ્રામાં...!
લખપત હોય કે, ભુજ, વાગડ હોય કે અબડાસા, ઠેર-ઠેર મોડી સાંજે-રાત્રીના સમયે નિયમ વિરૂદ્ધ ગેરકાયદેસર મશીનો લગાવીને થઈ રહ્યુ છે બિનઅધિકૃત ખનન : કોના બાપની દિવાળી..? : મંજુરી ન હોય તેવા વિસ્તારોમાથી બેફામ ખનીજચોરી રાત્રીના સમયે જ પાર પડાતી હોવાની છે ચર્ચા : કેટલાક કિસ્સાઓમાં તંત્ર રાત્રીના સમયે આવી માઈન્સ પર ત્રાટકે પણ છે, પરંતુ લીઝ છે એમ પરવાનાઓ ચકાસીને પરત આવી જાય છે, તો હકીકતમાં અહી સરકારની નીતીનિયમો અનુસારની કાર્યવાહી થાય છે કે, પછી અમુક ભ્રષ્ટ તત્વો ખનીજચોરોને પોતાનું મોઢું દેખાડવા જ જાય છે અને ભાવબાધણું જ કરી લે છે?
ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સુંદરતા ધરાવતા વિશાળ કચ્છ જિલ્લાના પેટાળમાં ખનીજનો અદભુત ખજાનો ધરબાયેલો પડયો છે. અહી આ ખનીજમાથી સરકારને જેટલા પ્રમાણમાં રોયલ્ટીની આવક થવી જોઈએ અને તેનાથી પ્રજાલક્ષી કામો થવા ઘટે તેના પ્રમાણમાં તો અનેકગણી લખલુંટ ખનીજચોરો કરી રહ્યા હોય તેમ અહીથી ખનીજચોરી પકડાતી હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવવા પામતા જ રહે છે.
પૂર્વ કચ્છમાં વર્તમાન સમયે ભુસ્તરશાસ્ત્રી શ્રી પટેલના આગમન બાદ તેઓ એક પછી એક ધડાધડ ખનીજચોરોને શાનમાં સમજાવી રહ્યા છે અને ધાક બેસાડતી કાર્યવાહી કરી
રહ્યા છે. તો બીજીતરફ ભુજ ફલાઈંગ સ્કવોર્ડના મેહુલ શાહની ટીમો પણ આટલા વિશાળ જિલ્લાના છેવાડાના વિસ્તારો ખુંદી વળી અને ખનીજચોરોને નશ્યત કરવા કટીબદ્ધ હોય તેમ કાર્યવાહી કરવામા આવી રહી છે. આ બધાયની વચ્ચે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના ભુસત્રશાસ્ત્રી તથા તેમની ટીમની સસુસ્તા આંખે ઉડીને વળગવા પામી રહી છે. દરમ્યાન જ જાણકારો અહી સવાલ કરતા કહી રહયા છે કે, ખનીજચોરી કરનારા ખનીજચોર તત્વો ઢળતી સાંજે અને મોડી રાતે જ હવે ખનીજચોરીને વિપુલ પ્રમાણમાં અંજામ આપતા હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. જો આમ થતુ હોય તો એ પણ નિયમ વિરૂદ્ધ જ કહી શકાય તેમ છે. સરકારી કામો, ખનીજના કામો રાત્રીના અંધારામાં કરવા પરવાનગી પાત્ર બનતા જ નથી. લખપત સહિતના પટ્ટામાં સુજલામ સુફલામ યોજના હેઠળના તળાવો ઉંડા કરવાના ખાડા અને કેટલાક કીસ્સાઓમાં ખનીજ નીકળતા તેનેઉપાડવા સહિતની કામગીરી પણ રાત્રીના અંધારામાં જ કેમ આદરવામાં આવી રહી છે? આવો સવાલ હવે સહેજે સહેજ સામે આવવા પમાી રહ્યો છે? તાજેતરમાં જ લખપત પટ્ટામાં આ મુજબની ફરીયાદ સામે આવી હતી અને રાત્રીના સમયે ટીમો પણ રવાના કરાઈ હતી, પાસ પરવાનગી હોવાથી તેમને જવા દેવાયાની વાત તંત્ર કરે છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, રાત્રીના સમયે જો સરકારી કામ પેટે ખનીજ ઉપાડાતુ હતુ તો એ કેવી રીતે નીતીનિયમનુ થઈ ગયુ? ભુજ-ભીમાસર રોડમા પણ હાલમાં જ અંદાજીત ૭પ લાખનો મુદામાલ પકડતી કાર્યવાહી કરાઈ છે તે પણ રાત્રીના અંધારામાં જ ખનીજ ઉસેડતા હોવાની સ્થિતી સામે આવવા પામી છે. ખરેખર ખનીજચોરો રાત્રીના સમયે ખનીજચોરીને વધારે યોગ્ય માની અને અંજામ આપી રહ્યા હોય તેમ દેખાય છે. જો આમ હોય તો પછી ખાણખનિજ વિભાગ અને ખાખીધારીઓ કેમ રાત્રીના સમયે ખાસ વોચમાં નથી રહેતા? શું રાત્રીના સમયે થતી આ ચોરીઓને એક યા બીજી રીતે મુકસમર્થન અપાયેલ છે કે કેમ?
.........
કલેકટરશ્રી અરોરા કેમ ન કરાવે જાત તપાસ?
ભુજ - ભીમાસર રોડમાં કરોડોની ખનીજ ચોરી!
તંત્ર કેમ સમ ખાવા પુરતી જ કરે છે કાર્યવાહી?
એકાદ વર્ષના ગાળામાં પશ્ચીમ કચ્છ ખનીજ વિભાગે ચુબડક-કુકમા સહિતના વિસ્તારમાં આ માર્ગ નિર્માણ વિસ્તારમાં ત્રણ-ત્રણ વખત પકડી છે ખનીજચોરી- ૩ર લાખ, ૧૮ લાખના અપાઈ ચુકયા છે દંડ, તો જે નહી પકડાઈ હોઈ અથવા તો પકડાયા ઉપરાંતનુ ઉસેડાઈ ગયેલ ખનીજ કેટલુ?
ગાંધીધામ : ભુજ- ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૦૦૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન છે. ચોકાવનારી અને સવાલ સર્જતી વાત અહી એ જ બની રહી છે કે, આ માર્ગ નિર્માણમાં પાછલા એકાદ વર્ષમાં ત્રણથી વધુ વખત ખનીજચોરી રેકર્ડ પર પકડાઈ ચૂકી છે. હાલમાં ફરીથી અહી ૭પ લાખનો મુદામાલ પકડી પાડયો છે ત્યારે સવાલ એ થાય છે કે, આ બધી જ કાર્યવાહી તો થઈ છે તેનો આંક છે, પરંતુ જે ખનીજચોરી અહી પકડાતી નહી હોય, અથવા તો અત્યાર સુધીમાં પરવાનગી વિના ખનીજ ઉપાડી લેવાયુ હશે તે ખનીજચોરીનો આંક કયાં પહોચતો હશે? ત્રણથી વધુ વખત જયાથી લાખોની ખનીજચોરી પકડાઈ ચુકી છે તે માર્ગ નિર્માણનુ કામ રાખનાર કંપની જી આર ઈન્ફ્રાસ્ટ્રકચર અને તેના દ્વારા જેને પેટામાં ઠેકા અપાયેલા છે તેનો કેમ ઉધડો ન લે.
Comments